ગુજરાતના ખેડૂતોને મળશે,  મોબાઈલ ખરીદવા સહાય

Published On1 11-11-2022 By I-khedut.in

ગુજરાત રાજ્ય સરકારે ગુજરાત ખેડૂતને  સ્માર્ટફોન યોજનાની જાહેરાત કરી છે.

સ્માર્ટફોન થી ખેડૂત ને શું લાભ થશે?

સ્માર્ટ ફોન ખેડૂતોને ખેતીની આવક વધારવામાં મદદ કરશે. અને તેઓ સરળતાથી હવામાનની આગાહી અને કૃષિ ક્ષેત્રને લગતી અન્ય ઘણી વિગતો ચકાસી શકે છે.

સ્માર્ટફોન થી ખેડૂત ને શું લાભ થશે?

તેઓ ખેતીની નવી ટેકનિક શીખવા માટે યુટ્યુબ, ગૂગલ અને બીજા ઘણા પ્લેટફોર્મનો ઉપયોગ કરી શકે છે.

ખેડૂતોને નવા મોબાઈલ ખરીદી પર કેટલી સહાય મળશે?  

નવા મોબાઈલની ખરીદી પર 40% અથવા રૂ.6000/- આ બન્નેમાંથી જે ઓછુંં હોય

ખેડૂત મોબાઈલ સહાય યોજનાનો લાભ લેવા માટે કેવી રીતે અરજી કરવાની રહેશે?

આઈ-ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની હોય છે.

આ યોજના ટૂંક સમય માંજ ચાલુ થશે, હાલ આ યોજના ને હાલ પૂરતી સ્ટોપ કરેલ છે. સરકાર દ્વારા આપવાના હતા 16 હજાર ફોનપરંતુ અરજી આવી 35 હજાર. 

મોબાઈલ સહાય યોજના માટે શું-શું પાત્રતા છે?

ખેડૂત ગુજરાતનો નાગરિક હોવો જોઈએ અને પોતાની માલિકીની જમીન ધરાવતો હોવો જોઈએ.

ખેડૂત મોબાઈલ સહાય યોજનાના ઓનલાઈન ફોર્મ ચાલુ થયેલ છે? 

સહાયની રકમમાં વધારો કર્યા બાદ ઓનલાઈન ચાલુ થયેલ નથી, ટુંક સમયમાં ચાલુ થશે.